અનિડા ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલાના આત્મ કલ્યાણ અર્થે પ્રાર્થના સભા યોજાઈ

963
guj4122018-4.jpg

દામનગર પાલીતાણા તાલુકા નાના એવા અનિડા ગામ ના ૨૧ મળી કુલ ૪૧ વ્યક્તિઓના એક માસ પૂર્વે રંધોળા ખાતે ટ્રક પલ્ટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં ૪૧ વ્યક્તિ ઓ મૃત્યુ પામ્યા હતા. આ. મૃતાત્માના આત્મકલ્યાણ અર્થે ભાવનગર અને અમરેલી બીએપીએસ મંદિરના વરિષ્ઠ સંતો અને શિહોર આંબલા દામનગર કુંભણ ખાખરીયા સહિતના સતસંગ મંડળોના યુવાનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયેલ જેમાં ભાવનગર મંદિરના કોઠારી યોગવિજયદાસ સ્વામી સાધુચરણદાસ સ્વામી શ્રીજીચિંતનદાસ સ્વામી ભગવતકીર્તનદાસ સ્વામી સહિત દામનગર શિહોર કુંભણ ખાખરીયા આંબલાના સતસંગ મંડળોના યુવાનોએ મૃતાત્માના આત્મકલ્યાણ માટે સતસંગ કીર્તન કર્યા વરિષ્ઠ સંતો દ્વારા સાંત્વના સંદેશ સાથે મૃતાત્માઓના આત્મકલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.

Previous article રાજુલા ન.પા. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત છતા બે કરોડનો ચેક કાઢયો
Next article દહીથરા પ્રા.શાળાના બાળકોને વિદાય