સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા વિનામુલ્યે છાશ વિતરણનો પ્રારંભ

859
guj1942018-7.jpg

ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી થતી માનવસેવા એજ માધવસેવાની જીવનમંત્ર બનાવતા સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ પરિવાર સહયોગીઓ દ્વારા પૃથ્વી પરનું અમૃત છાસ વિતરણ કાર્યનો પ્રારંભ ઉમરાળા તાલુકાના ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો પરિવારને સંપૂર્ણ મફત છાસ વિતરણ કરાવતા દાતા દ્વારા તા૧૫/૪થી પ્રારંભ કર્યો હતો.
સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતી છાસ વિતરણ વ્યવસ્થા માટે આર્થિક સહયોગ કરતા ડુંગરશીભાઈ હળીયાદ, વિજયભાઈ નાથાણી, અનિડા અંકિતભાઈ મોરડીયા ઝીંઝાવદર સહિતના દાતાઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા દ્વારા છાસ કેન્દ્રનો પ્રારંભ પ્રસંગે બી એલ રાજપરા દ્વારા હસ્યસ્પર્શી વક્તવ્ય માનવ સેવા જ માધવ સેવા સાર્થક કરતા સ્વંયમ સેવકોના શ્રમદાનની સુંદર સરાહના કરાય હતી.

Previous articleખેરાપટવાના ખેડુત યુવા ઉપર સિંહે કરેલો હુમલો
Next articleવિજપડી ગામે યુવા ભાજપ દ્વારા સફાઈ અભિયાન