પાલીતાણામાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નિકળી

619
bvn1942018-4.jpg

પાલીતાણામાં આજે બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે પાલીતાણા ભૈરવનાથ ચોકથી ભગવાન પરશુરામની શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા ભૈરવનાથ ચોકથી મેઈનબજાર નાની શાકમાર્કેટ થઈ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. તેમાં પાલીતાણા તાલુકા બ્રહ્મસમાજના લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા અને ભીડભંજન મંદિરે સમુહ આરતી પણ કરાઈ હતી.

Previous articleકુકડ ગામે ચામુંડા માતાજી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
Next articleજાફરાબાદમાં નિકળેલી પરશુરામજીની શોભાયાત્રા