બરવાળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન

869
guj21418-3.jpg

બરવાળા મુકામે કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૧૯-૪-૧૮ને સાંજના ૭-૩૦ કલાકે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધીરૂભાઈ ચૌહાણ, ધવલભાઈ દોશી, સુલતાનભાઈ સાવેવાલા, કરશનભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા ખાતે કોંગ્રેસ સમિતિ બરવાળા શહેર તેમજ તાલુકા દ્વારા તાજેતરમાં ઉન્નાવ તેમજ કઠુવામાં માસુમ બાળકી ઉપર થયેલ અત્યાચારના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ મેઈનબજાર, મેઘાણી ચોક ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બરવાળા શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને માસુમ બાળકીને ન્યાય મળી રહે અને બાળકી ઉપર કરનાર અત્યાચારના આરોપીઓને ફાંસી અને સ્ત્રી સુરક્ષા માટે કડકમાં કડક કાયદો બનાવવાની કાર્યવાહિ કરવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

Previous article સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર રજૂઆત કરી
Next article ધંધુકામાં મુસ્લિમ સમાજે મૌન રેલી કાઢી આવેદન પાઠવ્યુૃ