રાણપુર તાલુકાના બરાનીયા અને પાટણા ગામ બન્યા સો ટકા રસીકરણયુક્ત ગામ

489

કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના સીધા નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરી માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ -૨ ના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. સો ટકા રસીકરણયુક્ત જિલ્લાની સંકલ્પનાને સાકાર કરવા રાણપુર તાલુકાના બરાનીયા અને પાટણા ગામ ખાતે ઘરનો સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરી રસીકરણ કાર્યક્રમો માટે સરપંચ તથા આગેવાનો સાથે બેઠક કરી રસીકરણ અન્વયેની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી રસીકરણ કરવામાં આવ્યું હતું.નોડલ અધિકારી દ્વારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ સો ટકા રસીકરણ થકી અન્ય ગામ માટે પ્રેરણા બને તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવતા ગામ ખાતેના રસી પાત્ર ૧૮ વર્ષથી વધુ ઉમંરના લોકોનું સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઊલ્લેખનીય છે કે, ગામની અંદર ૧૨૫૧ વ્યકિતઓમાંથી ૧૨૪૨ વ્યકિતઓને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવેલ છે અને ૯ વ્યકિતઓ સ્થળાંતર થયેલ છે. ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતાને સો ટકા સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી.

Previous articleશ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ સાથે રાણપુરમાં આવેદન અપાયું
Next articleગોઘાવટા ગામમા પ્રવેશ માર્ગ પર આવેલ ડીપથી ગામજનો પરેશાન