એસ.ટી.ડેપોમાં પાણીનાં પરબનું લોકાર્પણ

653
bvn21418-6.jpg

ઈમામ હુસૈનની જન્મ જયંતિ અને ભાવનગરનાં ૨૯૬માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર એસ.ટી.ડેપો ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ ભાવનગર દ્વારા ઠંડા પાણીનાં પરબનું મેયર નિમુબેન બાંભણીયાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે એસ.ટી.નાં વિભાગીય નિયામક માલીવાડ તેમજ એસ.ટી. કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતુભા ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોમાં મુકાયેલા ઠંડા પાણીનાં પરબથી દુરથી આવતા મુસાફરોને રાહત થશે 

Previous article સાણોદર ગામે કાર બળીને ખાક
Next article ગુજરાતની ૩૬ નદીઓને ૩૦૦ કરોડના ખર્ચે રિચાર્જ કરાશે