યુનિ. મંડળીના સભ્યોને આનંદનો ગરબો બુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું

1227
bvn2692017-9.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા તથા મંડળીના સભાસદ વામનરાય વી. ભટ્ટના સહયોગથી મંડળીના સભાસદો કે જેઓએ અગાઉ નામ નોંધાવેલ તેવા આશરે ૧૦૦થી વધારે સભાસદોને આનંદનો ગરબોની બુકનું વિતરણ પ્રથમ નવરાત્રિના દિવસે વિનામુલ્યે કરવામાં આવ્યુ. આનંદનો ગરબો બુક મેળવનાર તમામ સભાસદો નિયમિત ગરબાનો પાઠ કરે અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય તેવા હેતુથી આ વિશિષ્ટ કામગીરી કરવામાં આવી. આનંદનો ગરબો બુકના વિતરણ માટે મંડળીની કચેરી મારફત મંડળીના પ્રમુખ ડો.પી.એ. ગોહિલ અને માનદ મંત્રી મિલનસિંહ એલ. પરમાર તથા સભાસદ અને જેના દ્વારા આ બુક ફાળવવામાં આવી છે તેવા દાતા વામનરાય વી. ભટ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળી દ્વારા સભાસદોનો આર્થિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવા પ્રયત્નો થતા રહે છે.

Previous articleગારિયાધારમાં મોંઘવારીના વિરોધમાં જીજેપીએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
Next articleબગદાણા ખાતે જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ