ભુરખીયા હનુમાનજી મંદિરે અઢી કિલો સુવર્ણ અલંકારોની દાતા તરફથી ભેટ

1811
guj8102017-5.jpg

દામનગર સુપ્રસિધ્ધ ભુરખીયા માનુમાજી મંદીરે મારૂતિ યજ્ઞ અને સુવર્ણ ભેટનો અનેરો ઉત્સવ મહુવાના વણિક હાલ મુંબઈ પારેખ પરિવાર દ્વારા અઢી કિલો સુવર્ણમાંથી ભુખરીયા હનુમાનજીનું મુખ અને સોનાનો હાર આજે ચંદી પડવાના શુભ દિવસે ભવ્ય યજ્ઞ અને દાદાને સુવર્ણ અલંકારનો શણગાર કરતા સેવક પારેખ પરિવાર શનિવારના દિવસે સુવર્ણ શણગારના દુર્લભ દૃશન અને મારૂતિ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદીર સંકુલને પુષ્પોથી શણગારના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ મેળવ્યો ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષ યોજનામાં સમાવિષ્ટ પ્રસિધ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરમાં મુંબઈ સ્થિત જેન વણિક પરિવારોના કુળદેવતા હોવાથી દર માસની પુનમે શ્રધ્ધાળુઓ મુંબઈથી દર્શને આવતા ખુબ દુરસદુરથી ભાવિકો દાદાના દર્શનથી ધન્યતાનો અનુભવ કરે છે. 

Previous articleરાજુલા ખાતે સંસ્કૃતિ વિદ્યાલયમાં શરદપુર્ણિમા રાસોત્સવની ઉજવણી
Next articleમોબાઈલ ટાવરમાંથી સ્પેરપાર્ટની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા