કુંભારવાડા ખાતે નાળામાંથી પુરૂષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો

785
bvn29102017-3.jpg

શહેરના કુંભારવાડા નારી રોડ ખાતે આવેલ વાદીલાના નાળામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં બોરતળાવ અને વરતેજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કુંભારવાડા નારી રોડ પર આવેલ વાદીલાના નાળામાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ તરતો હોવાની જાણ પોલીસને કરાતા બોરતળાવ અને વરતેજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી હતી. આશરે ચાલીસે’કે વર્ષની વયના પુરૂષનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોલીસે જરૂરી કાગળો તૈયાર કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે તરફ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleકાળાનાળા સીટી સેન્ટર કોમ્પ.માં બેઝમેન્ટની બે દુકાનોમાં આગ
Next articleભાજપ પૂર્વ વિભાગનું સ્નેહમિલન