સિહોરમાં લાઈન લીકેજથી પાણીનો થતો ભારે વેડફાટ

733
bvn7112017-4.jpg

એક તરફ પાણીનો કકળાટ કાયમી બન્યો છે લોકોને સમયસર પાણી નહિ મળતું હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે જ્યારે બીજી તરફ સિહોરના કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ જોવા મળે છે અને પાણીનો વેડફાટ જોવા મળે છે અહીં તસ્વીર સુરકા દરવાજા વિસ્તારની છે જ્યાં છેલ્લા કેટલાક સમય થી પાણી ની લાઈન લીકેજ છે રોડ પર ચારેકોર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે તંત્રની બેદરકારી કહો કે અણઆવડત.પણ અહીં એક તરફ પાણીનો કકળાટ અને બીજી તરફ પાણીનો વેડફાટ આ બન્નેનો કયારે ઉકેલ આવશે તેની સ્થાનિક રહિશો રાહ જોઈ રહ્યાં છે.

Previous articleપાલીતાણા એક્તા ગ્રુપ દ્વારા ફ્રી નિદાન કેમ્પ
Next articleપીપળીયા પુલમાં ટ્રક-બાઈક ખાબક્યા