જે.કે. સરવૈયા કોલેજના વિદ્યાર્થીઓ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાતે

942
bvn16112017-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે. સરવૈયા કોલેજના બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ નિર્માણ કેન્દ્ર પ્રવૃત્તિ દ્વારા હાલમાં વિદ્યાર્થીનીઓને જુદી જુદી વનસ્પતિઓની જાણકારી આપવા માટે વિક્ટોરીયા ગાર્ડનના પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રના વન વિભાગ-ભાવનગરની મુલાકાત લેવામાં આવી હતી. જે.કે. સરવૈયા કોલેજમાં આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. કઈ વનસ્પતિ કયા રોગમાં અકસીર ઈલાજ તરીકે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત એ આ વન વિભાગમાં વિચરતા જુદા જુદા પક્ષીઓ અને નાના-મોટા જીવજંતુઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.કે. સરવૈયા બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

Previous articleઆંતરકોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન
Next articleઘાંઘળી રોડ પર જીતુ વાઘાણીની વિરૂધ્ધમાં રાજપૂત યુવાનોનો ચક્કાજામ : ટાયરો બાળ્યા