સિહોરની સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર ચાર ઝડપાયા

775
bhav962017-1.jpg

એક બાજુ સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે ત્યારે બીજી બાજુ સ્ત્રીઓ અસલામત છે. ભાવનગરના રંઘોળા ગામે એક સગીરાને ઉઠાવી જઈ ચાર ઇસમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી, જો કે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા થી નોંધ લઈ અને આ બળાત્કારી ચારેય ઇસમોને ઝડપી લીધા છે.બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ ને લઈને સરકાર દ્વારા કાયદા-કાનુનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનો કડક અમલ થાય તે માટે પોલીસને તાકીદ પણ કરવામાં આવી છે આમ છતાં પણ આવી ઘટનાઓ દિન દહાડે અટકવાનું નામ જ લેતી નથી, સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં આવી ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જે સમાજ માટે એક ચિંતાનો વિષય છે, ગુનેગારો દિવસેને દિવસે બેખોફ બની રહ્યા છે ત્યારે વધુ એક સામુહિક દુષ્કર્મ ની ઘટના ભાવનગર જિલ્લના ઉમરાળામાં બની છે. સિહોરના ટાણા રોડ પર રહેતા દેવીપૂજક પરિવારની સગીરાને તેના મા-બાપે કામ અંગે ઠપકો દેતા તેણી ઘર છોડી નીકળી ગઇ હતી અને રંઘોળા બસ સ્ટેન્ડ પાસેથી વાડી વિસ્તારમાં જતા તેણીને એકલી જોઇ રંઘોળાના દેવીપૂજક ભરત બાબુભાઇ, ભરત જીણાભાઇ, સુરેશ નારણભાઇ અને એક સગીર ઇસમેં ભેગા મળી સગીરાને બાવળની કાંટની વાડમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ ઉપરોક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને ફરિયાદના આધારે આ ગુનાના સગીર સહિતના તમામ ચારેય આરોપીને દબોચી લઈ તેમના સામે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous article નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ
Next articleનર્મદા સિમેન્ટ જાફરાબાદ ખાતે માઈન્સ લીઝ અંગે લોક સુનાવણી