રાજુલા-સા.કુંડલા બાયપાસ રોડનું કરાયેલું ખાતમુર્હુત

904

રાજુલા સાવરકુંડલા બાયપાસ પર આગરીયા જકાતનાકાથી કૃષ્ણ દ્વારા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં હતો. આ બાબતની પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે સરકારમાં રજુઆત કરી હતી. જેના અનુસંઘાને પેચવર્કનું કામ મંજુર થતાં આજરોજ ખાતમુર્હુત કરાયું હતું.

રાજુલાથી સાવરકુંડલા બાયપાસ રોડ કુંભનાથ મહાદેવ, સુખના મહાદેવ મંદિર પાસેથી પેચવર્કનું કામ ચાલુ કરાવેલ મંદિર મહંત રાજુલા શહેર યુવા મોરચો મહામંત્રી સાગરભાઈ સરવૈયાના વરદહસ્તે ખાતમુર્હુત કરેલ તેમજ રાજુલા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, પુર્વ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ બકુલભાઈ વોરા, કમલેશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, ધનરાજભાઈ હરિયાણી, સંજયભાઈ સાંખટ, ભાર્ગવભાઈ કસવાળા, અંકિતભાઈ પટેલ સાથે રહી કામ ચાલુ કરાવેલ.

Previous articleસિંહોની સારવાર માટે ૧૦૦ કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવાશે
Next articleજાફરાબાદના વારાહ સ્વરૂપ ધામે તુલસી વિવાહ