સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ

810
guj25112017-4.jpg

સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ અને વંચિતોના વાણોતર સંસ્થાના ૧પ૦ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંકલ્પપત્રો ભરાવેલ. પ્રત્યેક બાળક ઘરે જઈ પોતાના માતા-પિતા મતદાનના દિવસે અચુક મતદાન કરે જ તેવો સંકલ્પ કરાવશે. જે લોકશાહી દેશ માટે મતદાનની ઉજ્જવળ તક બની રહેશે. મતદાન જાગૃતિ અભિયાનના આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પનારા, હીનાબેન શાહ, કલેક્ટર કચેરીમાંથી અમીતભાઈ જાની અને પ્રજ્ઞાબેન ગાંધીએ ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ.

Previous articleબી.એમ. કોમર્સ દ્વારા મતદાન જાગૃતિ રેલી
Next article ભાજપે માછીમારોની રૂ.૩૦૦ કરોડની સબસિડી છીનવી લીધી : રાહુલ ગાંધી