વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો નવી વિધાનસભામાં બેસશે

986
gandhi30112017-4.jpg

સ્વર્ણિમ સંકુલ – ૧ અને ર ના રિનોવેશન પછી હવે વિધાનસભાના ભવનનું પણ રીનોવેશન થઈ રહ્યુ છે. હવે જે સરકાર આવશે તેને નવા વિધાનસભા સંકુલમાં બેસવાનું થશે. વિધાનસભાગૃહ પણ નવા શણગાર સજી તૈયાર થી રહ્યું છે. 
આગામી બજેટ સત્રમાં કોણે સત્તા સ્થાને અને કોને વિરોધપક્ષે બેસવાનું થશે એ તો ૧૮ ડિસેમ્બરે નકકી થઈ જશે. પરંતુ નવા ચુંટાયેલા ધારાસભ્યો માટે નવી વિધાનસભા શણગાર સજી તૈયાર થઈ રહી છે. 
પાટનગરમાં છેલ્લા છ માસથી વિધાનસભા ગૃહનું રીપેરીંગ કાર્ય ચાલી રહ્યું છે મોટાભાગનું કાર્ય પૂરું થવાની તૈયારીઓમાં છે ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે જોવું રહ્યું કે કયા પક્ષની નવી સરકાર આ ગૃહમાં બેસી બજેટ સત્ર રજુ કરશે ?

Previous articleપાટનગરની જીઈબી કોલોની પાસેના એશપોન્ડ અને લવારપુર ગામના તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા
Next articleબેઝિક ટ્રેકીંગ કેમ્પમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન