ભાજપ પ્રવક્તા ભરત પંડ્‌યાને હળવો હૃદયનો હુમલો, તબિયત સ્થિર

772

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાને હળવો હૃદયનો હુમલો થયો હતો. મોડી રાત્રે તેમને છાતીમાં દુઃખાવો થતાં ૨ વાગ્યે ર્સ્ટલિંગ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ ત્યાંથી તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડો. તેજસ પટેલ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી. તેમની તબિયત સ્થિર છે.

ભરતભાઈ પંડયાને ૨ વાગ્યે હાર્ટએટેક આવ્યો, ર્સ્ટલિંગ ખસેડાયા હતા. ત્યારબાદ એપેક્ષ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં ડો. પટેલે પહેલા એન્જ્યોગ્રાફી અને તરત જ એન્જ્યોપ્લાસ્ટી કરી હતી. હજી એક બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે.

Previous articleવાયબ્રન્ટ વખતે ૪૦ જેટલા મોબાઈલ ટોયલેટ મુકવા નિર્ણય
Next articleમનપા દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સામાન્ય સભા : રંગમંચના ભાડા નિયત કરવાનો મુદ્દો લેવાશે