ગારિયાધારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી

696
bvn3122017-2.jpg

ઈસ્લામ ધર્મના સ્થાપક મહાન મહંમદ પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદની ગારિયાધાર શહેરમાં શ્રધ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વળી આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના રાજમાર્ગો પર ઝુલુસ કાઢી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવવામાં આવી હતી.
જ્યારે આ પ્રસંગે ઝુલુસના રૂટ પર ન્યાજરૂપી નાસ્તા તેમજ ઠંડાપીણાના સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ અને વિવિધ રાજકિય પક્ષોના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજની મુલાકાતો પણ લેવામાં આવી હતી.

Previous articleઉદયપુરમાં ફોટોગ્રાફર અજય જાડેજાનું ફોટો પ્રદર્શન યોજાયું
Next articleસિહોર માર્કેટ યાર્ડ દ્વારા ૧૨ દિવસમાં ૩૮૩૮૫ મણ મગફળી ખરીદી