કે.પી.એસ. ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

864
bvn1192017-9.jpg

કે.પી.એસ. ફાઉન્ડેશન દ્વારા આજે રવિવારે સવારે શહેરના નવાપરા ચોકમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડો.મુસ્તાક લાખાણી, ડો.આસિફ પાંચા, સર ટી. હોસ્પિટલના ડો.ઈમરાન શેખ, ડો.વિપુલ વ્યાસ, ડો.હિમાંશુ પરમાર અને ડો.કે.પી. કુંધાણીએ સેવા આપી હતી અહીં તમામ દર્દીઓને તમામ સારવાર ઘટનાસ્થળે જ આપવામાં આવી હતી અને દવા પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક મુસ્લિમ સમાજના અગ્રણી નવાપરાના ઉસ્માનભાઈ સોલંકી, ભાજપના એમ.આઈ. સોલંકી, સફીભાઈ સૈયદ, ઈરફાનભાઈ મહેતર, યાસીનભાઈ પાટડીયા, ઈદ્રીશભાઈ સોલંકી, અમીનભાઈ સોલંકી, મુસ્તુફાભાઈ ગુજરાત, જમાલભાઈ રોશની, જાહિદ મઢડા અને એમ.કે. રાઠોડ સહિતના સરાહનિય વ્યવસ્થા ગોઠવી હતી.

Previous articleરાજાઈ યુવા સમિતિ દ્વારા વિનામુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો
Next articleઘોઘા ગામે બસ સ્ટેશનની બિસ્માર હાલત