રાજુલાથી સોમનાથ ૯ર વખત પદયાત્રા કરનાર દિપક ઠેકેદારનું સન્માન કરાયું

758
guj29-12-2017-4.jpg

રાજુલાથી સોમનાથ ૧૩૩ કિલોમીટરની પદયાત્રા ૯ર વખત કરનાર અને વર્લ્ડ રેકોર્ડ ગીનીસ બુકમાં નામની યાદી કરનાર રાજુલાના સેવાભાવી દિપક ઠેકેદારનું ગોસ્વામી પરિવાર તેમજ સાધુ સમાજ પ્રમુખ દ્વારા દબદબાભેર સન્માન અનેક શિવભક્તોની હાજરી સાથે શિવધારા વહેતી થઈ શીવ કા દાસ કદી ના ઉદાસના સુરો રેલાયા હતા.રાજુલાથી સોમનાથ ૧૩૩ કિલોમીટરની પદયાત્રા ૯રમી વખત કરનાર વર્લ્ડ રેકોર્ડથી ગીનીસ બુકમાં નામની યાદી કરનાર દિપક ઠેકેદારનું રાજુલા દશનામ ગોસ્વામી પરિવાર તેમજ દશનામ સાધુ સમાજના પ્રમુખ રાજુબાપુ, જીગ્નેશબાપુ, કમલેશભાઈ ભારતી તથા ઓમકેશબાપુ તથા કમલેશપરી સહિત આગેવાનો તથા બહોળી સંખ્યામાં દશનામ સાધુ સમાજ દ્વારા દિપકભાઈ ઠેકેદારનું શાલ તેમજ ફુલહાર દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

Previous article રાજુલા તાલુકાના ખેરા ગામે નિલગાયનું મોત
Next article ઈયળોના ઉપદ્રવથી નિષ્ફળ ગયેલ પાકનો વીમો સત્વરે આપવા માંગ