જાફરાબાદના કડીયાળી ગામ નજીક એસટીએ રીક્ષાને અડફેટે લેતા ૧નું મોત

626
GUJ1612018-2.jpg

જાફરાબાદના કડીયાળી ગામ પાસે મીતીયાળાની રીક્ષાનો ગોજારો અકસ્માત ૧નું મોત ૪ ગંભીર હાલતે ભાવનગર રીફર કરાયા હતાં.
જાફરાબાદના કડીયાળી ગામે અમરેલી-જાફરાબાદ જતી એસ.ટી. બસ સાથે છકડો રીક્ષા સાંજના ૭ થી ૭ાાના આસપાસ ધડાકાભેર અથડાતા પોતાની જ રીક્ષામાં બેઠેલ પોતાના પરિવારના પાંચ સભ્યો રીક્ષામાંથી ફેંકાય જતા ૧ બાળકી નીતાનું ઘટના સ્થળે મોત ૪ વ્યકિતઓને ગંભીર ઈજા થતા કડીયાળી ગામના અને વઢેરાના સેવભાવી યુવકોએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી તેમજ મીતીયાળા ગામના સરપંચ ચંદુભાઈએ ચારેય વ્યકિતઓ જેમાં રીક્ષા માલિક કાળુભાઈ કવાડ તેના પત્ની મંજુબેન કાળુભાઈ કવાડ, કાજલબહેન કાળુભાઈ પુત્રી, ગૌત્તમભાઈ કાળુભાઈ કવાડ અને રાજવીરભાઈ કાળુભાઈ કવાડ પુત્રને ગંભીર હાલતે ભાવનગર હોસ્પિટલ રીફર કરાયેલ છે.  કાળુભાઈનો પરિવાર માણસા ગામે ખેતી વાડી ભાગીયુ રાખેલ તે મકરસંક્રાતિ પર્વ ઉજવવા મીતીયાળા આવેલ જે પરત માણસા જવા નિકળેલને કડીયાળી ગામ પાસે આ ગોજારો અકસ્માત થયેલથી કડીયાળી તેમજ મીતીયાળા ગામમાં શોકનું મોજુ ફરી વળેલ. 

Previous articleદામનગરમાં વીર માધાંતા ગૃપ દ્વારા શોભાયાત્રા નિકળી
Next articleજાફરાબાદમાં વીર માંધાતાની વિશાળ શોભાયાત્રાનું આયોજન