ભૈરવધામ મંદીરે બ્રહ્મ સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ

806
bvn1712018-9.jpg

તા. ૧૩-૧-૧૮નાશનિવારના રોજ ભૈરવધામ મંદિર લાકડીયા પુલ ખાતે, દીપદાન મહોત્સવ તથા પંચકુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન જગદીશ્વરમ્‌ ફાઉન્ડેશન તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની મહિલા પાખ દ્વારા કરાયેલ હતું. તેમા પ.પુ. હરનાથજી બાપુ અને જગદીશ્વરમ્‌ ફાઉન્ડેશનના ડો. સુનિલ મહેતાના હસ્તે તળાજા વિધાન સભાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાનું સન્માન શાલ તથા ભૈરવધામનો ખેસ ઓઢાડીને કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના તમામ હોદ્દા ધરાવતા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું. પ.પુ. હરનાથજી બાપુ દ્વારા કન્યા કેળવણી, બેટી બચાવો, બેટી પઢાવો માટે વકતવ્ય આપી. સૌરાષ્ટ્ર કચ્છની મહિલા બ્રહ્મ સમાજની બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. 

Previous articleતણસામાં પાર્શ્વનાથ ભગવાનની ૧૩૧મી શાલગિરાહ ઉજવાશે
Next articleનેશનલ કલ્ચરલ રેલીમાં ભાવનગર NCC કેડેટસે દ્વિતિય ક્રમાંક મેળવ્યો