પાલીતાણા તાલુકાની બડેલી પ્રા. શાળાનો પ્રવાસ યોજાયો

1577
bvn2012018-6.jpg

પાલીતાણા તાલુકાની બડેલી પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના ધોરણ ૩ થી ૮ના કુલ ૪૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓને સાળંગપુર મંદિર, ઈસ્કોન મંદિર, અડાલજની વાવ, ઈન્દ્રોડા પાર્ક, અક્ષરધામ, સાંતેજ ધામ, વૈષ્ણોદેવી મંદિર, સાયન્સ સીટી, કાંકરીયાની મુલાકાત કરાવી હતી. સમગ્ર પ્રવાસમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મોજ, મજા, મસ્તી, આનંદ કર્યો હતો. આ પ્રવાસને સફળ બનાવવા માટે બડેલી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ સચાણિયા તથા શિક્ષકો મેહુલભાઈ રાઠોડ, શિવાજીબેન ગોસ્વામી, જલ્પેશભાઈ પટેલ, પરવેજભાઈ મલેક તેમજ દિપાલીબેન દેસાઈએ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર પ્રવાસને સફળ બનાવવા અગત્યનો ભાગ ભજવેલ.

Previous articleમીઠાપુર શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર
Next articleઈન્દીરાનગર પ્રા.શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ