મનપા સામે લારી-ગલ્લાવાળા દ્વારા ડૉ. સી. જે. ચાવડાને રજુઆત

894
gandhi2312018-4.jpg

મનપા દ્વારા લારી-ગલ્લાના વેપારીઓને પરેશાની થઈ રહી હોવાની બાબતને લઈને એસોસીએશન અને લારી-ગલ્લાવાળા તમામ લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાને રૂબરૂ મળીને પોતાની વિગતો જણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય ગરીબ એવા પાથરણા વાળા અને લારીઓ વાળા પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હોવા છતાં મનપાના અધિકારીઓ તેમને ખોટી રીતે હેરાન -પરેશાન કરી માલ-સામાન ભરી જાય છે. જેથી પાથરણાવાળા કે લારીવાળાને મોટી ખોટ અને પેટીયું જુંટવાઈ જાય છે.
વળી અન્ય મનપામાં હોકર્સ લાયસન્સ આપવામાં આવે છે. જે ગાંધીનગરમાં આજ સુધી મહાનગર પાલિકા થયા હોવા છતાં આજ સુધી નહી આપ્યા હોવાથી નાના વેપારીઓને અધિકારીઓની મનમાની અને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 

Previous articleલક્ષ્યાંકો નક્કી કરી ઇમાનદારી સાથે પ્રયત્ન જરૂરી : રાષ્ટ્રપતિ
Next articleવાવોલ પાસે બનેલ ભવ્ય ખોડિયાર ધામનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો