બરવાળા અંબાજીધામના ર૦માં પાટોત્સવની ભાવસભર ઉજવણી

781
guj29-1-2018-7.jpg

બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો ર૦મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર તા. ર૦,ર૧ અને રર એમ ત્રણ દિવસ સુધી યોજાઈ ગયો. આ પ્રસંગે શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્ર સહિતની ધાર્મિકવિધિઓ અને કાર્યક્રમો ભાવભેર યોજાયા હતાં. આ પ્રસંગે વતનપ્રેમી વણિક વૃજલાલ પોપટલાલ બાબરીયા પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સતત ત્રણ દિવસ સુધી માતાજીની ભકિત આરાધના કરી હતી.
ર૦માં પાટોત્સવ પ્રસંગે પેટલાદવાળા મેહુલભાઈ શાસ્ત્રીજીના આચાર્યપદે ત્રિ-દિવસીય શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્રનું આયોજન કરાયું હતું. જેમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિવિધ હવનીયા દ્રવ્યોની આહુતિઓ અપાઈ હતી. પાટોત્સવ ઉજવણી સંદર્ભે સંઘ જમણ સહિતના કાર્યો પણ થયા હતાં. 

Previous article પોલીયોની રસી પીવડાવી વિજય રૂપાણીએ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો 
Next article બરવાળા ૧૦૮ ઈમરજન્સીના બે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું