બરવાળા ૧૦૮ ઈમરજન્સીના બે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

691
guj29-1-2018-6.jpg

બોટાદ ખાતે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બરવાળા ઈમરજન્સી ૧૦૮ના કર્મચારીઓને પ્રસશનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી સન્માનવામાં આવ્યા હતાં. 
બોટાદ જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા તેમજ પાયલોટ બળદેવસિંહ ગોહિલને ૧૦૮માં પ્રાથમિક સારવાર આપી અનેક દર્દીઓના જીવ બચાવેલ અને દરેક બનાવોમાં ઘટના સ્થળે ઈમરજન્સી પહોંચી તાત્કાલિક સારવાર આપવા બદલ તેમજ પોતાની પ્રસશનીય કામગીરી કરવા બદલ પરષોત્તમભાઈ સોલંકી (મંત્રી, મત્સ્યઉદ્યોગ)ના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતાં. અને આગામી દિવસોમાં સારી કામગીરી કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. 

Previous articleબરવાળા અંબાજીધામના ર૦માં પાટોત્સવની ભાવસભર ઉજવણી
Next article સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે દામનગર ખાતે રકતદાન કેમ્પ યોજાયો