પીથલપુર નજીક એસ.ટી. બસની અડફેટે બાઈક ચાલકનું મોત થયું

990
bhav31-1-2018-2.jpg

દાઠા તાબેના પીથલપુર ગામ નજીક એસ.ટી. બસના ચાલકી બાઈક સવાર આધેડને ધડાકાભેર અડફેટે લેતા આધેડનું સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ તળાજા – ગોપનાથ રોડ પર આવેલ પીથલપુર ગામે રહેતા કનુભાઈ પ્રાણશંકરભાઈ લાધવા (ઉ.વ.પપ) પોતાનું મોટર સાયકલ નં. જી.જે. એબી ૩૬૬૭ લઈ ઘરેથી વાડી તરફ જતા હતા તે વેળાએ ગામના વળાંકમાં પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ, ગોપનાથ- ભાવનગર રૂટની એસ.ટી. બસ નં. જી.જે. ૧૮ ઝેડ ર૦૯૬ના ચાલકે કનુભાઈને એડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા આધેડનું ઘટના સ્થળે જ મોત  નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા દાઠા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી હતી અને એસ.ટીસ બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article શહેરના કે.મોલમાં ચોરી
Next article ચાવડીગેટ પાસેથી દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા