લાપતા થયેલા પુમા શો-રૂમના મેનેજરની ફલેટના પાણીના ટાંકામાંથી લાશ મળી

925
bvn822018-8.jpg

શહેરના સંસ્કાર મંડળ નજીકના ફલેટમાં રહેતા અને રૂપાણી સર્કલ પાસે આવેલ પુમા ફુટવેર શો-રૂમના મેનેજર છેલ્લા ચાર દિવસથી લાપતા હોય આજરોજ તેમના ફેલ્ટના પાણીના ટાંકામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. પાણીમાં દુર્ગધ આવતા રહીશો દ્વારા ટાંકામાં નપાસ કરતા લાપત્તા મેનેજરને લાશ મળતા ભેદ ઉકેલાયો હતો. 
બનાવની મળતી વિગત મુજબ શહેરના સંસ્કાર મંડળ પાસેના સેતુબંધ ફલેટમાં રહેતા સીંધી યુવાન મોહનભાઈ લધરાભાઈ રાજાઈ (ઉ.વ.૪ર) શહેરના રૂપાણી સર્કલ ખાતે આવેલ પુમા કંપનીના ફુટવેરના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા હતાં. મોહનભાઈ છેલ્લા થોડા સમયથી આર્થિક રીતે ભીંસમાં હોય મુંજવણ અનુભવતા હતાં. છેલ્લા ચાર દિવસથી કોઈને કહ્યા વગર લાપત્તા બનતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે મોડી સાંજે મોહનભાઈના પત્નીએ નિલમબાગ પોલીસમાં ગુમ થયાની જાણ કરાઈ હતી. જેમાં આજરોજ સેતુબંધ ફલેટના રહીશોને પાણીમાં  દુર્ગધ આવતા પાણીના ટાંકામાં તપાસ કરતા જેમાં લાપતા મોહનભાઈ રાજાઈની ટાંકામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ જવા પામીહ તી. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બનાવ અંગેના જરૂરી કેસ કાગળો કરી આત્મહત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોહનભાઈ રાજાઈ દ્વારા આત્મહત્યાનું પગલુ ભરતા સમગ્ર સીંધી સમાજમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો. 

Previous articleબે વર્ષથી ફરાર આરોપીને આરઆરસેલએ ઝડપી લીધો
Next articleમંગલ ચેરિ. ટ્રસ્ટના વિનુદાદાની પાલખી યાત્રા