ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

1151
bvn832018-11.jpg

શહેરનાં વાઘાવાડી રોડ અક્ષરવાડી મંદિર પાસેથી એક વર્ષ પહેલાં બાઈકની ચોરી કરનાર શખ્સને વરતેજ પોલીસે આખલોલ પુલ નજીકથી ઝડપી લીધો છે.
પો.અધિ. ભાવનગર તથા ના.પો.અધિ.ભાવનગરની સુચના મુજબ વાહન ચોરી દાખળ થયેલ અનડીટેક થયેલ ગુન્હાઓ બાબતે પો.સ.ઈ. જે.પી. ગઢવીના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ.એમ.ઓ.ગોહિલ હેડ કોન્સ.જે.વી.ઝાલા પો.કોન્સ. ભયપાલસિંહ જુવાનસિંહ સરવૈયા દિવ્યરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ નરેન્દ્રસિંહ મેઘુભા ગોહિલ દેવેન્દ્રસિંહ નીરૂભા જાડેજાએ રીતેના વાહન ચેકીંગ દરમિયાન વરતેજ ભાવનગર રોડ ઉપર આખલોલ પુલ નજીક શંકાસ્પદ હાલતમાં જી.જે.૦૪ એ.સી. ૯૨૮૦ વાળો મો.સા.ચાલક જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ.૩૨ ધંધો હિરા ઘસુ રહે. પ્રેસ કવાટર ગણેશનગર -૦૨ની બાજુમાં પુજાનગર પ્લો.નં.૮૫ ભાવનગર વાળાને અટકાવી ઉપરોક્ત મો.સા.બાબતે આધાર પુરાવા માગતા જે ન હોવાનું ણાવતો હોય અને જે બાબતે સી.આર.સી.પી.સી. અક્ષરવાડી સ્વામીનારાયણ મંદિર આગળ ફુટપાર્થના પાર્કિંગમાંથી ડાયરેકટ કરી ચોરી કરી નંબર પ્લેટ બદલાવી વાપરતો હતો અને જેના સાચા નંબલ જી.જે.૦૪ એ.ડી.૮૮૦૨ના હોવાનું જણાવતો હોય આ બાબતે ખરાઈ કરતા નીલમબાગ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય. એક ચોરાઉ મો.સા.સાથે એક ઈસમને જડપી વરતેજ પોલીસ સ્ટાફે નીલમબાગ પો.સ્ટે.નો અનડીટેક ગુન્હો ડીટેક કરેલ.

Previous articleત્રણ અલગ અલગ ગામો, ચાર સ્થળો પર ચોરી, તસ્કરો પોલીસને જડતા નથી
Next articleઅનીડા ગામે સિહોરના બરફવાળા પરિવારે ગમગીન ગ્રામજનોને ભોજન કરાવ્યું