સઘન બંદોબસ્ત સાથે તંત્રએ રસ્તે રખડતી ૪૫ ગાયોને પકડી

376

સુરત શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરના ત્રાસથી લોકો પરેશાન થયા છે ત્યારે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગઈકાલે પશુ પકડ્યા હતાં. પશુ પકડ્યાં બાદ પશુના માલિકો દ્વારા પાલિકાના સ્ટાફ પર હુમલો કરીને પશુ છોડાવી જવાયા હાતં. ત્યારે પાલિકા દ્વારા કડક હાથે કામ લેતા પોલીસ બંદોબસ્ત સાથે ૪૫ ગાયો પકડવામાં આવી હતી.

પાલિકા દ્વારા રખડતાં પશુઓ માટે કુખ્યાત વિસ્તારમાં ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં માર્કેટ વિભાગના તમામ સ્ટાફ અને કતારગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાલિકાની ટીમે ૪૫ જેટલી ગાયોને ડબ્બામાં પુરી હતી. જે માલિકો છોડાવવા આવશે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને રખડતા ઢોરોને પકડવાની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Previous article૨૮ કિલો અને ૧૩.૫ ફૂટ લાંબુ ‘બાહુબલી પટિયાલા કેડીયુ’, ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ
Next articleસેંસેક્સ ૩૯૬ પોઇન્ટ સુધરી ૩૮૯૮૯ની ઉંચી સપાટીએ