દામનગર મુસ્લિમ સમાજે સોનુ ડાંગર વિરૂધ્ધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

868
guj1992017-6.jpg

ઈસ્લામ ધર્મગુરૂ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર રાજકોટની સોનુ ડાંગર વિરૂધ્ધ રોષ પુર્ણ રીતે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે દામનગર સમસ્ત મુસ્લિમ દ્વારા આજે ગુજરાત સરકારમાં સમસ્ત મુસ્લિમ સમાજે દામનગર ખાતે નાયબ મામલતદારને આવેદન પત્ર પાઠવી આવા ગંદી અને હલકી વિચાર સરણી ધરાવતા ઈસમો વિરૂદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક દાખલો બેસાડતી કાર્યવાહી થવા માંગ કરી છે. સોશ્યલ મીડિયા પર કોઈ પણ ધર્મ સંપ્રદાય કે વ્યકિતને ઉતારી પાડતી કે વ્યંગ અંગે સરકાર દ્વારા કડક સુચના અને કાર્યવાહી કરી દાખલો બેસાડવાની માંગ કરી હતી. ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમોએ મોટા પીરની દરગાહથી મૌન રેલી રૂપે દામનગર સેવા સદન કચેરીએ મેજીસ્ટ્રેટને આવેદન પત્ર આપ્યું હતું. 

Previous articleએસટી બસની અનિયમિતતાને લઈને ગ્રામજનો દ્વારા ડેપો મેનેજરને રજૂઆત
Next articleખાંભાના જૈન દેરાસરમાં વડાપ્રધાન જન્મદિન નિમિત્તે કરાયેલુ વૃક્ષારોપણ