સોનગઢ ગામે દિગંબર જૈન ટ્રસ્ટ મકાનમાં ભીષણ આગ : ચીજવસ્તુઓ બળીને ખાક

687
bvn2732018-9.jpg

સોનગઢના પાલીતાણા રોડ પર દિગંબર જૈન ટ્રસ્ટના મકાનમાં ભીષણ આગ લાગી હતી. ટ્રસ્ટના મકાનમાં મહાવીર જયંતિની તૈયારી ચાલતી હતી અને મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવાઇ છે જ્યારે સિહોર ફાયર વિભાગની ફરી એક મોટી બેદરકારી સામે આવી છે આગ લાગે ત્યારે કૂવો ખુદવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભીષણ આગની ઘટનામાં  નાના બાઉઝરમાં બ્રેક ડાઉન થઈ હતી જ્યારે મોટા બાઉઝર ગરમ થતા મોટા સુરકા પાસે રોકી દેવાઈ હતું જોકે નાના બાઉઝરના ચાલક ધર્મેન્દ્ર ચાવડાએ જીવના જોખમ સાથે બાઉઝરને ચલાવીને બહાદુરી બતાવી હતી અને ફાયરને ઘટના સ્થળે પહોંચાડીને પાણીનો છાંટકાવ કર્યો હતો જોકે આગ લાગી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાણીનો છાંટકાવ કર્યો અને સોનગઢ પોલીસના પીએસઆઇ વિહોલ ગૌતમભાઈ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે આગની ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી ફરી સામે આવી છે. ફ્લેક્સ બેનરો વગેરે બળી ગયેલ. અંદાજે ૧૫ હજારથી વધુનું નુકસાન થયું હતું.

Previous articleનવાપરા ખાતે રોડ પર ખડકાયેલા વાહનોને ડીટેઈન કરી દંડ વસુલાયો
Next articleજમીન સંપાદન મામલે ધરતીપુત્રો દ્વારા જનજાગૃતિ પદયાત્રાનો પ્રારંભ