નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાશે

1019
bvn2932018-10.jpg

અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિર ખાતે ચૈત્ર સુદ પુનમને તા.૩૧-૩-ર૦૧૮ને શનિવારના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આયોજીત હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં વિશેષ રૂપે સવારે ૬-૦૦ વાગે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, ૮-૩૦ વાગે ધ્વજારોહણ, ૯ થી ૧ર મનોજ પુજારીજીના મુખારવિંદે સુંદરકાંડનો પાઠ, બપોરે ૧ર થી ૧ર-૩૦ કલાકે હનુમાન જન્મોત્સવની ઉજવણી અને ભજન-કિર્તન તથા છપ્પન ભોગ (અન્નકુટ) ધરાવવામાં આવશે. બપોરે ૧ થી ૪ મહાપ્રસાદી વિતરણ (ભંડારો), સાંજે ૭ થી ૧૦ વાગે જુદી જુદી ભજન મંડળીઓ દ્વારા ભજન સંધ્યાના આયોજનની સાથે મંદિરના મહંત રંગનાથાચાર્યજી મહારાજ ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા હનુમાનજી મહત્તાનું રસપાન કરાવશે. સાંજે પ થી ૭ મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે ૮-૩૦ વાગે નાગરવેલ હનુમાનદાદાની ૧૧૦૦૦ દિવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

Previous articleઅલંગ શિપ યાર્ડમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર ઝડપાયો
Next articleખાંડિયા કુવા ખોડીયાર મંદિરે દેવી ભાગવત કથા