ખારગેટ પાસેના ડેલામાં મકાન તુટી પડતાં મહિલાનું મોત થયું

763
bvn142018-11.jpg

શહેરના ખારગેટ વિસ્તારમાં લાઠીયાના ડેલામાં આવેલ મકાન સવારના સમયે તુટી પડતા મકાનમાં રહેલી મહિલાનું મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ખારગેટ વિસ્તારમાં લાઠીયાના ડેલમાં મકાન પડ્યાની અને ઈજાઓ પહોંચ્યાની જાણ થતા ૧૦૮ સેવા બનાવ સ્થળે દોડી ગઈ હતી જેમાં એક લક્ષ્મીબેન રાણાભાઈ ગઢવી નામની મહિલાનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે ગંગાજળીયા પોલીસમાં મૃતકના પરિવારજનોએ કશુ નોંધ કરાવી ન હોવાનું પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું. મકાન પડ્યાના બનાવમાં અને મહિલાનું મોતથી આજુ-બાજુમાં રહેતા રહીશોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. 
 

Previous articleસાળંગપુર ખાતે હનુમાન જયંતિની ધામ-ધુમપુર્વક ઉજવણી કરવામાં આવી
Next articleટીંબી ગામે થયેલ યુવાનની હત્યાનું કારણ અંકબંધ : એસ.પી.