આરાધના ટ્રસ્ટ દ્વારા કવિ કલાપી એવોર્ડ સમારોહ

769
guj642018-2.jpg

આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રાજવી કવિ કલાપી એવોર્ડ-ર૦૧૮ મોરારીબાપુના વરદ હસ્તે પદ્મશ્રી વિષ્ણુ પંડયા ગુજરાત સાહિત્ય અકાદમી કવિ સારસ્વત, હર્ષદ ચંદારાણા નામદાર લાઠી, ઠાકોર કીર્તિકુમારસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહ્યા  હતાં. ભવાની જેમ્સના મનજીભાઈ ધોળકિયા,  સવજીભાઈ ધોળકિયા સહિત મહાનુભાવોનું વિશિષ્ઠ સેવા બદલ મોરારીબાપુ દ્વારા સન્માન કરાયું હતું.  રાજવી કવિ કલાપી એવોર્ડ – ર૦૧૮ રાજેશ વ્યાસ (મિસ્કીન) અમદાવાદ અને ક્રાંતિ મિડિયા કલા એવોર્ડ લોકસાહિત્યકાર વલ્લભભાઈ રિબડીયા શાયરને મોરારીબાપુના વરદહસ્તે એનાયત કરાયા. લાઠી શહેરની સંઘવી કન્યા શાળા ખાતે બપોરના ર-૩૦ કલાકે રાજવી કવિ એવોર્ડ અર્પણ સમારોહમાં નામી અનામી કલા સાહિત્ય રસિકોની વિશેષ ઉપસ્થિતિમાં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન સારસ્વતો દ્વારા માનનીય વકતવ્ય સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક રાજસ્વી ક્ષેત્રના અનેક મહાનુભાવોની વિશાળ હાજરીમાં કલા સાહિત્ય વિદ્યામાન સર્જન ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ પ્રતિવર્ષ એનાયત થતા કલાપી એવોર્ડ સમારોહને ભવ્ય સફળતા મળી હતી. 

Previous articleભંડારિયામાં યોજાશે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો પ્રથમ પાટોત્સવ
Next articleકેમલ ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ