માતાજીનો ઈકોફ્રેન્ડલી શણગાર બનાવતો મુસ્લિમ પરિવાર

918
guj2192017-6.jpg

સાવરકુંડલાના ગળીયારા મુસ્લિમ સમાજના લોકો નોરતામાં ઈકો ફ્રેન્ડલી કાગળનો પર્યાવરણને નુકશાન ન થાય તેવો માતાજીનો શણગાર બનાવી સૌરાષ્ટ્રભરની બજારમાં મોકલી રહ્યાં છે. નોરતાની શરૂઆતે જ અહીં ત્રણ-ચાર પેઢીઓથી મુસ્લિમ ગળીયારા સમાજ લોકો હિન્દુ પરંપરાનો મહત્વનો તહેવાર નોરતામાં માતાના સજાવટનો ઈકો ફ્રેન્ડલી કાગળનો પર્યાવરણને નુકશાન ન થાય તેવો શણગાર હાલ આ યુવાનો પેઢી દર પેઢી બનાવી સૌરાષ્ટ્રભરની બજારમાં મોકલી રહ્યાં છે ત્યારે આ ગળીયારા મુસ્લિમ સમાજના મુહમદ હનીફભાઈ આ કાર્ય ત્રણ પેઢીઓ કરી રહ્યાં છે. અહીં નોરતાની શરૂઆતે આ કુટુંબના લોકો કાગળ સહિતની સામગ્રી લાવી હાથ બનાવટથી જ માતાજીના શણગારના ગજરા હાર સહિતની સીરીઝો અગાઉથી બનાવી સૌરાષ્ટ્રભરની બજારોમાં પહોંચાડી રહ્યાં છે ત્યારે હાથ બનાવટની અને પ્રદુષણમુક્ત પ્લાસ્ટીકના ઉપયોગ વિના જ આ શણગાર માતાજીનો બનાવી કોમી એક્તાનું મજબુત ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.

Previous articleગઢડાના હરીપર ગામે ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય ભાવ. દ્વારા વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
Next articleમાં આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ