મીતીયાળા ગામે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

655
guj1342018-3.jpg

જાફરાબાદના મીતીયાળા ગામે કોળી સમાજના જાદવ પરિવારના કુળદેવી ચામુંડ માની તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓ મંદિરમાં પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ધામધૂમથી ઉજવાયો. 
જેમાં મીતીયાળા સરપંચ ચંદુભાઈના આંગણે પધરામણી કરાઈ અને માતાજીના રાસ ગરબા, ભજન કિર્તનની જમાવટ લાગી. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાદવ ભગવાનભાઈ પાંચાભાઈ, ભીમાભાઈ જાદવ, લાલાભાઈ ભાણાભાઈ, પાંચાભાઈ લખમણભાઈ જાદવ તેમજ ગામના સરપંચ ચંદુભાઈના યુવા ગ્રુપ તેમજ ગામ આગેવાનો તેમજ મહિલા મંડળે તો ગામને અબીલ ગુલાલની છોળોથી ચામુંડામય બનાવી દીધુ હતું.

Previous articleસિહોર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણનો જન્મદિવસ ઉજવાયો
Next articleધોળા દિવસે ઘરફોડ ચોરીઓ કરનાર ત્રણ ઈસમોને ઝડપ્યા