મતદારોને ઈવીએમ-વીવીપેટ અંગેની સમજ અપાઈ

725
gandhi29112017-3.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં ઈવીએમ અને વીવીપેટ અંગે જાગૃતિ ફેલાવવા સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. 
આ અભિયાનના ભાગરૂપે આજે સચિવાલયમાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓ માટે ઈવીએમ-વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી લલિતભાઈ પાડલીયા તેમજ નાયબ સચિવ એમ.એ.ગોરીયા તથા હસમુખભાઈ ઠક્કર તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહીને કર્મચારી-અધિકારીઓને ઈવીએમ તથા વીવીપેટ અંગે માર્ગદર્શન પુરૂ પાડ્‌યું હતું. 

Previous articleકડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા કેમ્પસ ટુ કોર્પોરેટ બાબતે વર્કશોપનું આયોજન
Next articleભાજપ અને કોંગ્રેસ પક્ષે કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારોને આપી ટિકિટ ? જાણો જ્ઞાતિવાદી સમીકરણો