લોકોને પીવાના પૂરતા પાણીની સમસ્યાતો તંત્ર પાસે સમારકામ માટે ટાઈમ નથી

863
guj8102017-6.jpg

ધંધુકા શહેરની જનતા માટે છેલ્લા પંદર દિવસથી પીવાના ચોખ્ખા પાણી માટેની સમસ્યા ઉભી થઈ છે તંત્રને ટેલીફોનિક કોન્ટેક કરતાં જવાબદાર અધિકારી દ્વારા જાણવા મળેલ છે કે મોટર બળી ગઈ છે. રીપેરીંગ થઈ જતાં પાણી અપાશે તો બીજી બાજુ એ પાણી પુરવઠાના સંપમાં પાણીનો પુરવઠો ઠાલવતી મુખ્ય લાઈન ધંધુકા ફેદરા હાઈવે પર ધંધુકા રેલ્વે ફાટક પાસે છેલ્લા પંદર દિવસથી મેઈન લાઈન લિકેજ છે જેનાથી લાખો ગેલન પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે.
આ અંગે આજે પુનઃ પાણી પુરવઠા વિભાગના લાઈન મેન રણજીતભાઈનો કોન્ટેકટ કરતાં જાણવા મળેલ કે આ લાઈન રેલ્વે બ્રિજ બનાવાઈ રહ્યો છે તેમના દ્વારા પાણીની લાઈન તુટી છે જેનું સમારકામ કાલે કરી દઈશુંનો જવાબ મળ્યો છે આમ છાશવારે પાણીની મુક્ય લાઈનો એક યા બીજી જગ્યાએ તુટી જાય છે તો સાથે દુષિત પાણી પણ ભળી રહ્યુ છે. ત્યારે રોગચાળો થવાની ભીતી પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર યોગ્ય દિશામાં અને નક્કર કામગીરી હાથ ધરે અને લોકોને દુષિત પાણી ન મળે તે જોવાની જવાબદારી હાથ ધરે છે હવે જોવુ રહ્યું કે તંત્ર આ સમારકામ અંગે કામગીરી ક્યારે હાથ ધરે છે અને પાણી વેડફાતુ કેટલા સમયમાં અનુભવે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.

Previous articleડો. ભારતીબેન દવેનું વ્યાખ્યાન યોજાયું
Next articleકોંગ્રેસ આગામી ચૂંટણીની તૈયારીમાં