પાર્લામેન્ટરી બોર્ડની ૧૫મીએ દિલ્હીમાં બેઠક થશે : વાઘાણી

819
guj12112017-11.jpg

ભાજપના થલતેજ સ્થિત મિડિયા સેન્ટર ખાતે આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે સતત વિકાસ, જનજન કા વિશ્વાસ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ભાજપ જે કહે છે તેના કરતા પ્રજાની સુખાકારી માટે વધારે કરે છે અને ભાજપા જનહિત માટે સમર્પિત છે તે સંદેશા સાથે ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકારે કરેલી પ્રજાકલ્યાણલક્ષી કામગીરી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. સતત વિકાસ, જનજન કા વિશ્વાસ પુસ્તકના વિમોચન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, જગદીશ ભાવસાર અને મિડિયા ઇન્ચાર્જ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૭થી ૧૨ નવેમ્બર ૨૦૧૭ ગુજરાતમાં પ્રારંભ કરાયેલ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન એ ઐતિહાસિક જનસંપર્કનો કાર્યક્રમ બની ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રારંભ કરાયેલા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન આવતીકાલે ૧૨ નવેમ્બરના રોજ સંપન્ન થનાર છે. 

Previous articleગુજરાતમાં મહિલાઓની વ્યથા સાંભળીએ તો આંખમાં આંસુ આવી જાયઃ સામ પિત્રોડા
Next articleમોદી અલગ માટીના બન્યા છે, તેઓ રજા લેતા નથી : પાસવાન