પરણિતાની તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ

671
bhav28112017-3.jpg

ભાવનગર શહેરના નજીકના સીદસર ગામે રપ વારીયામાં રહેતી પરણિતાને આજે બપોરના સમયે કોઈ અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. બનાવ અંગેની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ, શહેર નજીકના સીદસર રણ વારીયામાં રહેતા સોનલબેન અનિલભાઈ પરમાર (વણઝાર) ઉ.વ.ર૧ જેઓ આજ બપોરના સમયે ઘરે એકલા હતા તે વેળાએ કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સોનલબેનના ગળાના ભાગે હાથ અને પગમાં તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવની જાણ વરતેજ પોલીસને કરાતા પીએસઆઈ ગઢવી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની મૃતક સોનલબેનના પતિ અનિલભાઈ ગોવિંદભાઈ પરમારની ફરિયાદ નોંધી અજાણ્યા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Previous article સાંજણાસર પ્રાથમિક શાળાની મુલાકાતે યુનિસેફના પ્રતિનિધિ
Next article ભડભીડના નાળા પર બે ટ્રકનો સામસામી અકસ્માત : ટ્રાફીકજામ