સિહોરની પાટીયાવાળી શેરીમાં ગંદકીના થર : લોકોને પસાર થવામાં પરેશાની

857
bvn16122017-7.jpg

એક તરફ પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણોમાં સ્વચ્છ ભારતની બુમરાણ કરે છે અને વાસ્તવિકતા ની નજરે ચિત્ર કઈક અલગ છે અને બીજી તરફ સ્થાનિક તંત્રમાં પણ મેનેજમેન્ટ અને સ્ટાફ અને કર્મચારીઓનો અભાવ જોવા મળે છે સિહોર નગર પાલિકા નજીક એક સો મીટર દૂર પાટિયા વાળી શેરી આવેલી છે અહીં મંદિર મસ્જિદ દરગાહ સહિત ધાર્મિક સ્થળો આવેલા છે મહત્વની બાબત એ છે કે નગર પાલિકાથી સો મીટર દૂર આવેલ પાટિયા વાળી શેરી નજીક આસપાસમાં ચારેકોર કચરાના ઢગલા ગંદકી ગટરના વહેતા પાણી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોમાં પ્રચંડ લોકરોષ ફાટી નીકળ્યો છે ખાસ વાત કરવામાં આવે તો અહીં મંદિર મસ્જિદ દરગાહ સહિત ધાર્મિક સ્થળો આજુબાજુ માં જ આવેલા છે ધાર્મિક સ્થળે જનાર લોકોને ના છૂટકે અહીંથી નાકે ડૂચા દઈને ભયંકર દુર્ગંધ મારતી ગંદકી માંથી પસાર થઈ પાક કામ કરવા નાપાક થઈ જવું પડે છે જે આ ગામના અને બહારથી દર્શનાર્થે આવતા લોકો ની કમનસીબી ગણી શકાઈ કારણકે ધાર્મિક સ્થળ પર જવાના રસ્તાઓ પર આ તંત્ર અને સત્તા પર બેઠેલાઓ વામણા પુરવાર થયા છે તે કહેવું સહેજ પણ ખોટું નથી ત્યારે વહેલી તકે સાફ સફાઈ થાય તે પણ એટલું જ જરૂરી છે.

Previous articleશિયાળબેટના લોકોને ર રૂા. કિલો રેશનના ઘઉ લેવા જવા માટે રૂા.૬૦નો થતો ખર્ચ !
Next articleરેલ્વે એન્જિનિયર્સ એસો. દ્વારા વિવિધ માંગણી અંગે ધરણા કરાયા