રાજુલા કોંગ્રેસ કાર્યાલયે અંબરીશભાઈ ડેર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

756
guj20-12-2017-5.jpg

રાજુલા અંબરીશભાઈ ડેરને રાજુલા-જાફરાબાદ-ખાંભાની જનતાએ ખોબલે-ખોબલે મતો આપી જિલ્લાની તમામ પાંચ કોંગ્રેસની બેઠકો કરતા વધુ મતો આપી જે અનહદ પ્રેમ આપ્યો તેનો આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રણેય તાલુકાની જનતાનો અભિવાદન સમારોહ ખ્યાતનામ માયાભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
રાજુલા સીટ પર અમરેલીની પાંચેય બેઠકો કોંગ્રેસના ઉમેદવારોએ કબ્જે કરી ભાજપના સુપડા સાફ કર્યા. તેમાં રાજુલા જાફરાબાદ ખાંભાની જનતાએ મને પાંચેય ઉમેદવારો કરતા વધુ લીડથી મતો આપી મને જે પ્રેમ આપ્યો તે બદલ હું સર્વોનો આભારી છું તે બાબતે આજે રાજુલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રણેય તાલુકાની જનતાનો અભિવાદન કાર્યક્રમ કરાયો. જેમાં કોંગ્રેસના આગેવાનો બાબુભાઈ રામ, કોંગ્રેસ અગ્રણી તેમજ માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, માજી રાજુલા તાલુકા પ્રમુખ બાબુભાઈ જાલોંધરા, જાફરાબાદના કોંગ્રેસના અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, ખારવા સમાજના અગ્રણી ભરતભાઈ બારૈયા, કોંગ્રેસ શહેર રાજુલા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, તાલુકા પ્રમુખ દિપકભાઈ જાલોંધરા, કરણભાઈ તેમજ ચેતનભાઈ ભુવા, મહેશભાઈ ડેર, દેવાતભાઈ વાઘ સહિત હજારો કાર્યકર્તાઓનું જાણે સંમેલન હોય તેવો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં અંબરીશભાઈ ડેર દ્વારા જણાવાયું કે, હું આવતા પાંચ વર્ષમાં ર૦ વર્ષમાં કામ ન થયું હોય તે કરી બતાવીશ. સર્વ જ્ઞાતિને સાથે રાખીશ તેમજ બાબુભાઈ રામ, ટીકુભાઈ વરૂ, જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન દ્વારા પણ ખાત્રી આપી કે અંબરીશભાઈ ડેરને વિકાસના કામોને વેગ આપવા જેણે જેણે ભાજપને પણ ખુબ મતો આપ્યા છે તેને પણ કોઈ જાતનો રંજ રાખ્યા વગર વિકાસ કામો સાથે મળી કરીશું.

Previous article હાથબ ગામે ચા બનાવવા બાબતે ભાઈએ ભાઈને છરી મારી દીધી
Next article જનતાનો ચુકાદો શીરોમાન્ય : હીરાભાઈ