અંબાજી મંદિરમાં આમંત્રણ પત્રિકા આપવા જતાં અકાસ્માતમાં બે પ્રોફેસરના કરૂણ મોત

806
gandhi29-1-2018-3.jpg

યાત્રાધામ અંબાજી-દાંતા હાઈવે માર્ગ પર દેવળીયા વાવ ગામના વળાંક પાસે એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે પ્રોફેસરના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફીક જામ થઇ ગયો હતો. અંબાજી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંબાજીથી મહેસાણા જતી એસ.ટી.બસ અને સામેથી આવતી  કાર બપોરના સમયે દેવળીયાવાવ ગામના હાઈવે પર સામસામે ધડાકાભેર ટકરાતાં કારમાં સવાર પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર વિપુલભાઈ પોપટભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૦ ) તથા મહિલા પ્રોફેસર મધુબેન સંજયભાઈ પટેલ (ઉ.આ.૪૫)ના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ વાઘોડીયા આશ્રમના પ્રોગ્રામ અર્થે અંબાજી મંદિરમાં આમંત્રણ પત્રિકા આપવા આવતા હોવાનું જાણવા મળે છે. તે દરમિયાન બપોરે બનેલા બનાવના પગલે આ બન્ને પ્રોફેસરોના ઘટના સ્થળે જ કરુણ મોત થતાં પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી. 
બનાવની જાણ થતા અંબાજી પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર ચાલુ કરાવી બન્નેના પરિવારોને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મૃતકનોની યાદી મૃતક : (૧) વિપુલભાઈ પોપટલાલ પ્રજાપતિ (રહે.મહેસાણા) (૨) મધુબેન સંજયભાઈ પટેલ  (મૂળ વતન-મક્તુપુર-હાલ રહે.સુરત) પ્રોફેસરમાંથી રાજીનામું આપેલ અને વાઘોડીયા આશ્રમની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. બંન્ને પરિવારોનીહાજરીમાં પી.એમ. કરાયું આજે બનેલા  બનાવનો ભોગ બનેલા મૃતકોનુ બન્ને પરિવારોની હાજરીમાં પી.એમ. કરવામાં આવ્યું અને ત્યારબાદ પરિવારોને લાશ સોંપવામાં આવી તેવું કોટેજ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું

Previous articleગ્રામજનોએ કુવામા પડેલા મોરને બચાવ્યો
Next article બાપુ કોલેજમાં રોજગાર મેળો યોજાયો