મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પૂણ્યતિથિ નિમિત્તે યુનિવર્સિટીમાં પુષ્પાંજલી કાર્યક્રમ

848
bvn432018-7.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પૂણ્યતિથિ નિમિત્તે કુલપતિ ડો.શૈલેષભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને તા.ર-૪-ર૦૧૮ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મરીન સાયન્સ ભવનના ડો.ઈન્દ્ર ગઢવી દ્વારા મહારાજા સાહેબના શૈક્ષણિક પ્રદાનો, પ્રજા માટે કરેલી સખાવતો, પક્ષીઓની સાર-સંભાળ પ્રજાના આરોગ્ય વિષયક, પાણીના તળાવ, ધાર્મિક ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કર્યા હતા.
ઈન્ચાર્જ કુલસચિવ મ.કૃ. ભાવ. યુનિ.ના એક્ઝીક્યુટીવ કાઉÂન્સલના સભ્ય કોર્ટ સભ્ય ભવનોના અધ્યક્ષ, વિવિધ કોલેજાના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફ, યુનિવર્સિટી કાર્યાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ અને વહિવટી કર્મચારીઓની વિશાળ ઉપÂસ્થતિમાં યોજાઈ ગયો.

Previous article પાલક માતા-પિતા યોજનામાં બે નિરાધાર બાળકોને સહાય અપાવાઈ
Next article દામનગરમાં દલીત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું