કુંભારવાડામાં રસ્તા વચ્ચે અકસ્માતને આમંત્રણ..!

835

કુંભારવાડા-માઢીયા રોડ પર આવેલ શેરી નં.૩માં આવેલ રસ્તાની બરાબર વચ્ચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનને મેનહોલની ટાંકીનું ઢાંકણ લાંબા સમયથી તુટી જતા બેદરકાર તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. આથી સ્થાનિકોએ વટે માર્ગુઓ-વાહન ચાલકોની સલામતી અર્થે આ મેનહોલમાં લાકડા ગોઠવ્યા છે. પરંતુ રાત્રિના સમયે તથા અજાણ્યા વાહન ચાલકો-રાહદારીઓ તંત્રની આ ગંભીર બેદરકારીનો ગમે તે ઘડીએ ભોગ બને તેવી શક્યતા પ્રબળ બની છે.     

Previous articleશિશુવિહાર દ્વારા બાળ આરોગ્ય શિબિર
Next articleસેવા સેતુનું નિરીક્ષણ કરતા કમિશ્નર